બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

છત્તીસગઢમાં નક્સલી હુમલો, 20 જવાનો શહીદ

P.R
છત્તીસગઢના સુકમા જીલ્લામાં નક્સલીયોએ પોલીસ દળ પર ઘાત લગાવીને હુમલો કરી દીધો છે. આ હુમલામાં ઓછામાં ઓછા 20 યુવાનો શહીદ થવાના સમાચાર છે.

છત્તીસગઢના પોલીસ અધિકારીઓએ મંગળવારે જણાવ્યુ કે સુકમા જીલ્લાના તોગપાલ મથક વિસ્તારના અંતર્ગત તકબાડા ગામની પાસે નક્સલીયોએ પોલીસદળ પર ઘાત લગાવીને હુમલો કર્યો. જેમા ઓછામાં ઓછા 20 પોલીસ કર્મચારીઓ શહીદ થવાના સમાચાર છે.

અધિકારીઓએ જણાવ્યુ કે તોગપાલ અને ઝીરમ ગામ નિકટ રસ્તાનું નિર્માણકાર્ય ચાલી રહ્યુ છે. રસ્તાની સુરક્ષા માટે સીઆરપીએફ અને છત્તીસગઢ પોલીસના યુવાનોએ ત્યા ગોઠવ્યા હતા. યુવાન જ્યારે રસ્તાની સુરક્ષા કરી રહ્યા હતા ત્યારે નક્સલીઓએ પોલીસદળ પર હુમલો કરી દીધો. પોલીસ અધિકારીઓએ જણાવ્યુ કે નક્સલીઓએ ગોળીબાર પછી સુરક્ષાબલે જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી. આ વિસ્તારમાં હજુ પણ ગોળીબાર ચાલી રહ્યો છે.