ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: હાવડા , સોમવાર, 27 એપ્રિલ 2009 (14:30 IST)

જેલની પીડા ઘણા ઓછા જાણે- સંજય

આર્મ્સ એક્ટ હેઠળ દોષી ઠેરવવામાં આવેલા અને જામીન પર બહાર સંજય દત્તે આજે કહ્યું કે જ્યાં સુધી કોઈ વ્યક્તિ દોષી સાબિત થતો નથી તે નિર્દોષ છે.

ફિલ્મોમાંથી રાજનીતિમાં આવેલા સંજયે કહ્યું કે જેલમાં રહેવાનું દર્દ ઘણા ઓછા લોકો જાણે છે. તે 1993નાં મુંબઈ બોમ્બ વિસ્ફોટ કેસમાં આશરે બે વર્ષ સુધી ન્યાયિક અટકાયતમાં રહી ચૂક્યાં છે.

તાજેતરમાં સપાના મહાસચિવ નિયુક્ત કરવામાં આવેલા સંજય અહીં એક ચૂંટણી સભાને સંબોધિત કરી રહ્યાં હતાં. તેમણે કહ્યું કે તે 16 વર્ષના અતંરાલ બાદ ટાડા આરોપોથી મુક્ત થયાં. તેમજ સંજય દત્તે કોલકાતામાં પોતાની માતા નરગિસનો જન્મ થયો હતો,તે જગ્યાને પણ નિહાળી હતી.