Last Modified: પીલીભીત , રવિવાર, 29 માર્ચ 2009 (17:36 IST)
જેલમાં મચ્છરોએ વરૂણને હેરાન કર્યા
પીલીભીત જેલમાં વરૂણ ગાંધીની પ્રથમ રાત મુશ્કેલી ભરેલી વીતી હતી. મચ્છરોએ તો તેમને પૂરી રાત પરેશાન કર્યા તે ખુદ પણ આખી રાત સુઈ ન શક્યાં હતા.
તેમાં બેરકની લાઈટ રાતભર સળગતી રહી. તે દરેક અડધા કલાકે ઉઠતા અને આંટાફેરા મારતા હતા. તેમણે માત્ર બે જ રોટલી ખાધી. પણ સમગ્ર રાત વરૂણે 7 બોતલ પાણી પીધું. જેલમાં તેમને સામાન્ય કેદીની જેમ રાખવામાં આવ્યાં હતા. જેમાં 6 ફીટ બાય 8 ફીટનો રૂમ આપવામાં આવ્યો હતો.
જેલ પ્રશાસન વધારાની સુવિધાના રૂપમાં તેમને લાઈટ ચાલુ રાખવાની મંજૂરી આપી હતી. જેમનો તેમણે ફાયદો લીધો હતો. તેઓ સમગ્ર રાતભર કંઈ વાંચતા હોવાનું જાણવા મળ્યું છે. રવિવારે તેમને અલગ બૈરકમાં રાખવામાં આવશે.