દિલ્હીમાં વધુ ત્રણ આતંકીઓ ઝડપાયા
દિલ્હી બ્લાસ્ટમાં ગઇ કાલે પોલીસે કરેલા પર્દાફાશ બાદ આજે સવારે પોલીસે મળેલી બાતમીને આધારે વધુ ત્રણ આતંકીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આમાંનો એક શખ્સ જીયાએ અમદાવાદના મણીનગરમાં બોમ્બ રાખ્યો હતોદિલ્હીના જામીયાનગરમાં શુક્રવારે એલ-18 ફ્લેટમાં આતંકીઓ રહેતા હોવાની બાતમીને આધારે પોલીસે ત્યાં છાપો માર્યો હતો. જેમાં બે આતંકીઓ ઠાર મરાયા હતા જોકે એક મહંમત સેફ પકડાયો હતો. જેની પુછપરછ કરાતાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જેના આધારે સમગ્ર બ્લાસ્ટનો પર્દાફાશ થયો છે.આ માહિતીને આધારે દિલ્હી પોલીસે આજે જીયા, શકીલ અને શાકીર નામના ત્રણ આતંકીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. સાથોસાથ પોલીસે અબ્દુલ રહેમાન નામના મકાન માલિકની પણ ધરપકડ કરી છે. આ એજ ફ્લેટ છે જ્યાં આતંકીઓ રહેતા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે, શકીલે કારોલ બાગમાં બોમ્બ રાખ્યો હતો. જ્યારે જીયા અમદાવાદ બોમ્બ બ્લાસ્ટમાં સંડોવાય છે. તેણે અમદાવાદના મણીનગરમાં બોમ્બ રાખ્યો હોવાનું બહાર આવ્યું છે.