બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: નાસિક , બુધવાર, 28 મે 2008 (16:55 IST)

દેવામાં ડુબેલા ધરતીપુત્રનો આપઘાત

નાસિક. મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના નાર્ડેન ગામે દેવાના ડુંગર નીચે દબાયેલા એક ધરતીપુત્રે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતાં હાહાકાર મચી ગયો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યુ હતુ કે, રાજેન્દ્ર ગાયકવાડ નામના 40 વર્ષીય ખેડુતે પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવીને મોતને વ્હાલુ કર્યુ હતુ. આ બનાવ અંગે સ્થાનીક પોલીસે તપાસ કરતાં જણાયુ હતુ કે, તેનુ દેવુ વધી ગયુ હતુ અને તેના કારણે તેણે અંતિમ પગલું ઉપાડ્યુ હતુ.