શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

દેશમાં આજે સ્વાઈન ફ્લૂના નવા 260 કેસ

N.D
દેશમાં એચ1એન1 વાયરસ એટલેકે સ્વાઈન ફ્લૂનુ સંક્રમણ ચાલુ છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 260 નવા રોગીઓની ઓળખ થવાથી આમની કુલ સંખ્યા વધીને 17 હજાર 486 પહોંચી ગઈ છે. આ રોગથી આજ એક રોગીનુ મોત થવાની સાથે જ મરનારાઓની કુલ સંખ્યા 561 બની ગઈ છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સૂત્રો મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 260 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં અત્યાર સુધી 85 હજાર 302 શંકાસ્પદ રોગીઓની તપાસ કરવામાં આવી ચૂકી છે. દેશના 27 પસંદગીના હવાઈ મથકોમાં વિદેશથી આવનારા યાત્રીઓની સ્ક્રિનિંગનુ કાર્ય ચાલી રહ્યુ છે.

દેશની રાજધાની દિલ્લીમાં આજે આ રોગના 63 નવા કેસની પુષ્ટિ થઈ છે. જેની સાથે આ પ્રકારની સંખ્યા વધીને 4300 થઈ ગઈ છે અને અત્યાર સુધી આ રોગથી 18 રોગીઓના મોત થઈ ચૂક્યા છે.