શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

નરેન્દ્ર મોદી પરણેલા છે અને તેમની પત્નીનું નામ યશોદા છે - દિગ્વિજય

P.R
કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજય સિંહે નરેન્દ્ર મોદી પર હુમલો કરતા કહ્યુ કે પોતાની પત્નીના નામ પર મોદી ચૂપ કેમ છે.

દિગ્વિજય સિંહે સુનંદા પુષ્કર મુદ્દામાં નિશાન સાધતા કહ્યુ કે નરેન્દ્ર મોદીના લગ્ન 1968માં થયા હાઅ. તેમણે યૂ ટ્યૂબ પર રજૂ એક વીડિયોના આધાર પર કહ્યુ કે મોદીની પત્નીનુ નામ યશોદા બેન છે. મોદીએ હવે આ સંબંધે જવાબ આપવો જોઈએ.

તેમણે એક પ્રેસ કોંફરંસમાં કહ્યુ કે મોદીએ આપેલ નિવેદનથી મહિલાઓનું અપમાન થયુ છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશમાં ચૂંટણી સભાને સંબોધિત કરતા કેન્દ્રીય મંત્રી શશિ થરુરની પત્ની સુનંદાને પચાસ કરોડની ગર્લફ્રેંડ બતાવી હતી. તેમને આ નિવેદન પર જદયૂ સહિત મહિલા આયોગે પણ તીખી ટિપ્પણી કરી હતી