બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: અમદાવાદ , સોમવાર, 21 ઑક્ટોબર 2013 (11:01 IST)

નારાયણ સાંઈ દાઢી મૂંછ કપાવી ફરી રહ્યા છે ?

P.R
:

દુષ્કર્મનાં કેસમા નાસતા ફરી રહેલા આસારામનાં પુત્ર નારાયણ સાઇએ પોતાની ધરપકડથી બચવા તમાટે વેશપલટો કર્યો છે. નારાયણ સાઇએ પોતાની દાઢી- મૂંછ કપાવી નાંખ્યા છે. અને સતત તે પોલીસ બચવા માટે નાસતો ફરી રહ્યો છે. સૂત્રો તરફથી મળતી જાણકારી મુજબ નારાયણ સાઇએ તેમના અનુયાયીનાં ઘરે રાતવાસો કર્યો હતો.

આસારામનાં અનુયાયી લક્ષ્મણનાં જણાવ્યા મુજબ નારાયણ સાઇએ પોતાના દેખાવમાં ફેરફાર કર્યો છે. નોંધનીય છે કે સુરતમાં બે બહેનોએ બળાત્કારનો કેસ નોંધાવ્યા બાદ કોર્ટે સાઇ વિરુધ્ધ લૂક આઉટ નોટિસ જાહેર કરી છે. ત્યારથી નારાયણ સાઇ ફરાર છે.

લક્ષ્મણ સેવકાનીનો દાવો છે કે નારાયણ સાઇએ તેમની પાસે સિમ કાર્ડની માંગ કરી હતી. પણ લક્ષ્મણે ઇનકાર કર્યો હતો. નોંધનીય છે કે નારાયણ સાઇ અત્યારસુધી 17 સિમ કાર્ડ બદલી ચુક્યો છે. નોધનીય છે કે જ્યારે પોલીસે આગ્રામાં દરોડા પાડ્યા ત્યા સુધીમાં સાઇ ફરાર થઇ ગયો હતો. નારાયણ સાઇની શોધમાં ગુજરાત પોલીસે અનેક રાજ્યોમાં દરોડા પાડ્યા છે.