શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

નેનની ખ્વાજાનાં દરબારમાં હાજરી

ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જેને રાજ્યનાં વિકાસનું પરિમાણ ગણે છે, તે ટાટા નેનો ગાડીએ અજમેરનાં પ્રસિદ્ધ ખ્વાજાનાં દરબારમાં હાજરી આપી હતી.

ટાટા મોટર્સનાં અધિકારીઓ નેનો કાર લઈને અજમેર શરીફની દરગાહ પર આવ્યા હતા. તેમણે ગાડીને દરગાહ લાવવા પાછળનું કારણે નેનો કારને લોકપ્રિય બનાવવાનું જણાવ્યું હતું. તો કેટલાંક લોકોએ કટાક્ષ કર્યો હતો કે નેનોને બુરી નજરથી બચાવવા તેને દરગાહ લાવવામાં આવી હતી.

નેનો ગાડી આ વર્ષનાં અંત સુધીમાં સાણંદ પ્લાન્ટમાંથી બજાર આવે તેવી સંભાવના છે. અજમેર શરીફનાં ખ્વાજા મોઈનુદ્દીન ચીસ્તની દરગાહમાં વર્ષે સેકડો લોકો આવે છે. જેમાં ફિલ્મજગત, રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓનો પણ સમાવેશ થાય છે.