બિહારને ગુજરાત નહી બનવા દઈએ - લાલુ
બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાજદ સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવનો 64મો જન્મદિવસ શનિવારે પટનામાં પાર્ટીના પ્રદેશ કાર્યાલય પર ધૂમધામથી મનાવવામાં આવ્યો. તેમણે કહ્યુ કે તમારા વિશેષ સંદેશમાં લાલૂએ કહ્યુ કે બિહારના સીમંચલ ક્ષેત્રને ગુજરાત નહી બનવા દેવામાં આવે, જ્યા વર્તમાન સરકારના કાર્યકાળમાં અલ્પસંખ્યકો પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. આ પ્રસગે લાલૂએ સામાજિક ન્યાય અને સાંપ્રદાયિક શક્તિઓ વિરુદ્ધ લડાઈ ચાલુ રાખવાનો સંદેશ પાર્ટી કાર્યકર્તાઓ અને પદાધિકારીઓને આપ્યો. જન્મદિવસ પ્રસંગે રાજદના મુખ્ય કાર્યક્રમમાં નવી દિલ્લીમાં આયોજીત થયો, જ્યા પંજાબ, હરિયાણા અને ઉત્તરપ્રદેશન પાર્ટી કાર્યકર્તાઓની માંગ પર લાલૂ પ્રસાદે કેક કાપ્યો અને મિઠાઈઓનું વિતરણ કર્યુ.