ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: મથુરા , રવિવાર, 22 માર્ચ 2009 (17:21 IST)

ભગવાન પણ રક્ષા કવચમાં

આતંકવાદ વધતાં આમ જનતા સુરક્ષા માટે ચિંતિત બની છે ત્યારે ભગવાનને પણ બુલેટ પ્રુફ કવચમાં આવરી લેવાયા છે.

મથુરાના જાણીતા મંદિર બાંકે બિહારીને ઉડાવી દેવાની મળેલી ધમકીઓને પગલે મંદિરમાં રહેલી ભગવાનની મૂર્તિને બુલેટ પ્રુફ કાચથી આવરી લેવાયા છે. મંદિર વહીવટી તંત્ર દ્વારા મંદિરના ગર્ભગૃહમાં મૂર્તિ આગળ એક ઇંચ જાડો બુલેટ પ્રુફ કાચ ફીટ કરાયો હતો. જોકે ભક્તોના વિરોધને પગલે કાચની જાડાઇ થોડી ઓછી કરી પોણા ઇંચ કરી દેવાઇ છે.