ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: નવી દિલ્હી , શનિવાર, 29 નવેમ્બર 2008 (20:45 IST)

ભારતની પાકિસ્તાનને ચેતાવણી

ભારતે આજે ગુજરાત સ્થિત સરક્રીકની ખાડીમાં પાકિસ્તાની નૌકાઓની શંકાસ્પદ ગતિવિધિઓ પર સખત વિરોધ કરતાં કડક શબ્દોમાં ચેતાવણી આપી છે કે, આ બધુ સહન કરવામાં નહી આવે તથા આ ગતિવિધિઓ સામે ગંભીર પગલાં ભરવામાં આવશે.

આતરિક સુરક્ષા મામલોના સચિવ એમ.એલ.કુમાવતે આજે અહીંયા પત્રકાર સંમેલનમાં એક સવાલના જવાબમાં આ વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે, હાલમાં આ ક્ષેત્રમાં આવી ઘટનાઓને જોતાં ભારતે બંને દેશોને તટરક્ષક બળો વચ્ચે ફ્લેગ બેઠકોમાં સત્તાવાર રીતે વિરોધ નોંધાવ્યો છે.