ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: કોચ્ચિ , સોમવાર, 29 માર્ચ 2010 (14:54 IST)

ભારતનો તાજ છે કાશ્મીર : ફારૂક અબ્દુલ્લા

કાશ્મીરને દેશનું અભિન્ન અંગ જણાવતા નેશનલ કોંફ્રેંસના નેતા અને કેંદ્રીય મંત્રી ફારૂક અબ્દુલ્લાએ આજે કહ્યું છે કે, જમ્મૂ કાશ્મીર ભારતનું તાજ છે અને રહેશે. એક એવોર્ડ કાર્યક્રમ દરમિયાન અબ્દુલ્લાએ કહ્યું એ પ્રશ્ન ક્યારેય પણ નથી કરવામાં આવ્યો કે, કાશ્મીર ભારતનું અંગ છે કે, નહીં. તે ભારતનો તાજ છે અને તે આગળ પણ ભારતનો તાજ રહેશે.

તેમણે કહ્યું કે, આતંકવાદીઓને મોકલીને પાકિસ્તાનના અશાંતિ ફેલાવવાના પ્રયત્નોને નિષ્ફળ કરવા માટે ભારત સક્ષમ છે. પાકિસ્તાન હમેશાથી ભારતને ઈજા પહોંચાડવા ઈચ્છે છે પરંતુ અમારી મહાન સેના અને પોલીસના કારણે તે સફળ થઈ શક્યું નથી.