બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , સોમવાર, 27 એપ્રિલ 2009 (14:16 IST)

મનમોહન નબળા વડાપ્રધાન નથી- પવાર

મનમોહનસિંહનાં નબળા વડાપ્રધાન હોવાના સંબંધિત ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણીનાં આરોપોને ફગોવી દેતા એનસીપી પ્રમુખ શરદ પવારે કહ્યું છે કે તેમની ટીપ્પણી ગેરજવાબદારી ભરેલું નિવેદન અને ટીકા ગેરવાજબી છે.

પવારે અહીં કહ્યું અડવાણીએ પહેલા કદી આવું ગેરજવાબદારી ભરેલું નિવેદન આપ્યું નથી. હું અડવાણી દ્વારા વડાપ્રધાન પર વ્યક્તિગત રૂપે હુમલો કરવામા આવવાથી આશ્ચર્યચકિત થયો હતો.

મનમોહનસિંહનું જોરદાર સમર્થન કરતા પવારે કહ્યું કે મનમોહનસિંહ બિલકુલ નબળા વડાપ્રધાન નથી. તેણે કહ્યું તે નિર્ણય લેનારા છે તેમની સ્વચ્છ છબી છે અને તે કાર્યમાં વિશ્વાસ કરે છે. તેમના સારા વ્યવહાર સમ્માન પ્રદર્શિત કરવાની આદત અને હાવભાવના કારણે જો કોઈ તેમને નબળા વડાપ્રધાન ગણે છે. તો હું તેને સ્વીકાર નહીં કરું પરંતુ પવારે સિંહને યુપીએ તરફથી વડાપ્રધાનના ઉમેદવાર સ્વીકાર કરવાથી ઈન્કાર કરી દીધો.