ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , બુધવાર, 26 મે 2010 (15:21 IST)

મનમોહને ગિલાનીને મોકલી કેરીઓની ભેટ

ND
N.D
પાકિસ્તાન સાથે સંબંધોમાં મિઠાસ લાવવાના ઉદ્દેશ્યથી ભારતના વડાપ્રધાન મનમોહન સિંહે પાક પ્રધાનમંત્રી યુસુફ રજા ગિલાની માટે મંગળવારે રસીલી કેરીઓની ભેટ મોકલી છે. આ ભેટને ઇસ્લામાબાદમાં ભારતીય ઉચ્ચાયોગને સોંપવામાં આવી છે જ્યાંથી તે ગિલાની સુધી પહોંચાડવામાં આવશે.

સૂત્રોના અનુસાર સિંહે લગભગ 20 કિલો અલ્ફાંસો કેસીની ખાસ પ્રજાતિની ટોકરી ગિલાનીને મોકલી. સિહે આ ભેટ સાથે ગિલાની માટે એક પત્ર પણ મોકલ્યો છે જેમાં લખ્યું છે કે, ગિલાની સાહેબ જો આપને કેરી પસંદ પડે તો આપ સંદેશ જરૂર મોકલજો. મનમોહનની આ પહેલને બન્ને દેશો વચ્ચે વિશ્વાસ પુનસ્થાપિત કરવાના પ્રયત્નના ભાગરૂપે માનવામાં આવી રહી છે.