Last Modified: નવી દિલ્હી , મંગળવાર, 1 ડિસેમ્બર 2009 (16:34 IST)
માયાવતી સરકારને સુપ્રીમનો આંચકો
ઉતરપ્રદેશમાં આમ્બેડકર પાર્કોના નિર્માણ માટે બેકરાર માયાવતી સરકારની આશાઓ પર મંગળવારે પાણી ફરી ગયું. સરકાર દ્વારા દાખલ અરજીને ફગોવતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પ્રદેશમાં વધુ પાર્કોના નિર્માણની મંજૂરી ન આપી શકાય.
ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશમાં પાર્કોમાં મૂર્તિ નિર્માણને લઈને સુપ્રીમ કોર્ટ માયાવતી સરકારને અગાઉના દિવસોમાં કેટલીયે વખત ફટકાર લગાવી ચૂકી છે. આ મામલામાં સરકારને કોર્ટની અવમાનની દોષી પણ ઠેરાવવામાં આવી હતી ત્યાર બાદ ઉત્તરપ્રદેશના મુખ્ય સચિવને નોટિસ સુધી જારી કરવામાં આવી હતી.