શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: લખનૌ , શુક્રવાર, 15 જાન્યુઆરી 2010 (15:31 IST)

માયાવતીએ 54 મો જન્મદિવસ ઉજવ્યો

ઉત્તરપ્રદેશની મુખ્યમંત્રી માયાવતીએ આજે પોતાનો 54 મો જન્મદિવસ ઉજવ્યો અને આ પ્રસંગે 7,312 કરોડ રૂપિયાની 264 વિકાસ યોજનાઓનું લોકાર્પણ કર્યું. આ દરમિયાન ગરીબો માટે એક વિશેષ યોજના શરૂ કરવાની જાહેરાત પણ કરવામાં આવી.

મુખ્યમંત્રીના નિવાસસ્થાન પર આયોજિત એક સાદા સમારોહમાં મુખ્યમંત્રીએ ગરીબો માટે ઉત્તરપ્રદેશ મુખ્યમંત્રી મહામાયા ગરીબ આર્થિક મદદ યોજનાની શરૂઆત કરી. આ યોજનામાં ગરીબ વર્ગના એ લોકોને શામેલ કરવામાં આવશે જે બીપીએલ અથવા અંત્યોદય યોજનાના લાભની સીમામાં આવતા નથી.

યોજના અંતર્ગત પ્રત્યેક પસંદગી પામેલા ગરીબ પરિવારને પ્રતિમાસ 300 રૂપિયાની આર્થિક સહાયતા પૂરી પાડવામાં આવશે.