શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: થાણે , બુધવાર, 22 ઑક્ટોબર 2008 (20:38 IST)

મુંબઈ 'રાજ' હિંસામાં ત્રણના ભોગ

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના અધ્યક્ષ રાજ ઠાકરેની ધરપકડ બાદ મુંબઈમાં ભારે હિંસા ફાટી નીકળી હતી. જેમાં ત્રણ લોકોના મોત થયા હતાં.

રાજના સમર્થનમાં મંગળવારે આખુ મહારાષ્ટ્ર ભડકે બળ્યુ હતું, જેમાં હજારો દુકાનોમાં, 250 જેટલી બસોને આગ ચાંપી દેવાઈ હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૃત્યુ પામેલાઓમાં ગુરૂનાથ ભોઈર, ઓમ પ્રકાશ દૂબે, મયુર દૂબેનો સમાવેશ થાય છે. જેમાં એક સ્થાઈ નેતાનો ભાઈ પણ સામેલ છે.

જોકે ડોંબીવલી પોલીસે હજી સુધી આ અંગે કોઈની ધરપકડ કરી નથી.