મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિઅર પર 28 જાન્યુઆરી સુધીમાં આતંકવાદી હુમલો થવાની શક્યતા
ગુપ્ત એજંસીઓના જણાવ્યા મુજબ જમાત ઉઅદ દાવા લશ્કર-એ તોયબા જૈશ અને હિઝબુલ મુજાહિદ્દીન હુમલામાં ઈરાદાથી ચાર આતંકી સમૂહોને પહેલા જ ભારત મોકલી ચૂક્યા છે. આતંકવાદીઓઅની એક એક ટુકડી રાજસ્થાન ,મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ અને ઓરિસ્સામાં પહોંચી ગઈ હોવાનું જાણવા મળ્યું છે જેમાં મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરને મંગળવારે નિશાન બનાવે તેવી શકયતા છે જેને કારણે મુંબઈમાં હાઈ એલર્ટ કરવામાં આવ્યું છે.
મુંબઈના આતંકવાદીની ટીમના લીડરનું નમા અબ્દુલ્લા કુર એશી છે તેના બીજા સાગરિતોમાં નાસિર અલી,જાવેદ ઈકબાલ ,મોબિદ જિમાન અને શમશેરનો સમાવેશ થાય છે. જેમની ઉમર 25 વર્ષની આસપાસ જાણવા મળ્યું છે.