ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: લખનૌ , ગુરુવાર, 19 ફેબ્રુઆરી 2009 (08:59 IST)

મુન્નાભાઇએ શરૂ કર્યો ચૂંટણી પ્રચાર

બોલીવુડ સ્ટાર અને સમાજવાદી પાર્ટીની ઊમેદવારી કરનાર સંજય દત્તે તેમની ચૂંટણીના પ્રચારની શરૂઆત કરી હતી. સંજયના હજારો ચાલકો જે તેમને ‘મુુન્નાભાઈ’ તરીકે ઓળખે છે. તેઓ લખનૌની શેરીઓમાં એકત્ર થયા હતા અને પોતાના પ્રિય કલાકારની એક ઝલક મેળવવા ઈચ્છતા હતા.

સંજય પોતાની પત્નિ માન્યતા અને સમાજવાદી પાર્ટીના નેતા અમરસિંઘ સાથે તેમના પિતા સુનિલ દત્ત જયારે ઓલ ઈન્ડિયા રેડીયોમાં 1951ના આરસામાં એંકર તરીકે સેવા આપતા હતા ત્યારે જેમની સાથે રહેતા તે તેમના મિત્ર અને વડીલ કેપ્ટન રીઝવીના, અમીનાબાદ વિસ્તારમાં આવેલા ગાનેવાલી લેન ખાતેના નિવાસ સ્થાને ગયા હતા.

જોકે માત્ર બે-ત્રણ ફુટ પહોળાઈ ધરાવતી આ ગલીમાં ભીડ બેકાબુ ન બને તેમજ કોઈ અકસ્માત ન સર્જાય તેવી સલામતીની બાબતો લક્ષમાં રાખીને તેમને તે ગલીમાં જવા દેવાયા ન હતા પણ રીઝવી પરિવાર તેમને મળવા આવ્યો હતો. તેમણે સંજયને આવકાર્યા હતા અને માન્યતાને પણ ‘મૂહ દિખાઈ’ની રસ્મ અદા કરી હતી. મુન્નાભાઈએ તેમના પિતાના બ્લેક એન્ડ વ્હાઈટ ફોટા પણ નિહાળ્યા હતા. સંજય દત્ત જયારે જોયલગ રોડ ખાતે રીઝવી પરિવારને મળ્યા ત્યારે લોકોએ ગુલાબની પાંખડીઓની વર્ષા કરી હતી. તેમ સમાજવાદી પાર્ટીના પ્રવકતા રાજેન્દ્ર ચૌધરીએ માહિતી આપી હતી.

પત્રકારો સાથેની વાતચીતમાં સંજય દત્તે જણાવ્યું હતું કે, મારા પિતાએ જે પરિવાર સાથે કેટલાક વર્ષો વિતાવ્યા હતા તેમને મળીને મને ખૂબ આનંદ થયો છે. મુલાકાત બાદ આ પરિવાર, અમરસિંહ, માન્યતા વગેરે સમાજવાદી પાર્ટીની વિક્રમાદિત્ય માર્ગ ખાતે આવેલી ઓફીસે હંકારી ગયા હતા.