શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: કલકત્તા. , સોમવાર, 8 ડિસેમ્બર 2014 (11:50 IST)

મોદી જેવા વાહિયાત પીએમ આજ સુધી મે જોયા નથી

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીનો અપશબ્દ બોલવાનો મામલો હજુ શાંત પણ થયો નથી કે તૃણમૂળ કોંગ્રેસના એક વધુ નેતાએ વિવાદિત નિવેદન લઈને રાજકારણીય વાતાવરણ ગરમાવી દીધુ છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જીએ મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યુ કે નરેન્દ્ર મોદી જેવા વાહિયાત પ્રધાનમંત્રી તેમણે આજ સુધી જોયા નથી. 
 
કલ્યાણ બેનર્જીએ કહ્યુ કે દેશની જનતા 2019માં મોદીને ગાંધીનગરની ગલીમાં ઢકેલી દેશે. જ્યાથી તેઓ ક્યારેય બહાર નહી નીકળી શકે. બેનર્જીએ કહ્યુ કે મોદી ચૂંટણી દરમિયાન જનતાને મોટા મોટા વચનો આપ્યા હતા પણ પીએમ બન્યા પછી તેમણે લોકોને આપેલ એક પણ વચન પુર્ણ કર્યુ નથી. 
 
ઉલ્લેખનીય છે કે આ પહેલા પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જલપાઈગુડીમાં એક રેલી દરમિયાન ગ્રામીણ વિસ્તારોમાં બોલાનારા કહેવતનો ઉપયોગ એ કહેવા માટે કર્યો હતો કે તેઓ પોતે તો કશુ ન કરી શક્યા અને બીજાના પાછળ વાંસ આપવાની કોશિશ કરી રહ્યા છે. ( खुद तो कुछ नहीं कर सके और दूसरों के पिछवाड़े में बांस देने की कोशिश कर रहे हैं ) મમતાને પુછ્યુ હતુ કે શુ તેઓ આ વાતથી ખુશ નથી કે આજે દાર્જીલિંગ અને જંગલમહેલમાં શાંતિનુ રાજ છે ? 
 
મમતાએ કહ્યુ હતુ કે વાંસ જંગલમાં ઉગે છે અને ઘર બનાવવામાં કામ આવે છે પણ જ્યારે તમે કોઈને વાંસ આપવાનો પ્રયત્ન કરો છો અને તે પલટીને પીછો કરે છે તો તમને જાણ થાય છે કે તેની અસલી મજા શુ છે.