ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: મંગળવાર, 23 જુલાઈ 2013 (16:45 IST)

મોદી વિરુદ્ધ શત્રુધ્ન સિન્હાના બગાવતી તેવર

P.R
બિહારમાં બીજેપી વિધાયકોની બગાવતો વચ્ચે હવે પાર્ટીના સાંસદ અને જાણીતા ફિલ્મ એક્ટર શત્રુધ્ન સિન્હાએ પણ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વિરુદ્ધ બગાવતનો અવાજ ઉઠાવ્યો છે.

શત્રુધ્ન સિન્હાએ મંગળવારે કહ્યુ કે મોદીને પીએમ પદ સુધી પહોંચાડવા માટે લાલકૃષ્ણ અડવાણી અને સુષમા સ્વરાજ જેવા વરિષ્ઠ નેતાઓને બાજુ પર મુકવામાં આવી રહ્યા છે. સિન્હાએ ચેતાવણી આપતા કહ્યુ કે ક્યાક કોઈ આપણું જ પાર્ટી વિરુદ્ધ ગોલ ન કરી દે.

અડવાણીએ પોતાની પ્રથમ પસંદ બતાવતા સિન્હાએ કહ્યુ કે અમારા બધાની ઈચ્છા છે કે જે પણ પીએમ બને લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ અને સહયોગથી બને. તેમણે કહ્યુ કે આજે પાર્ટીમાં લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ અને સહયોગથી બને. તેમણે કહ્યુ કે આજે પાર્ટીમાં લાલકૃષ્ણ અડવાણી, જસવંત સિંહ, યશવંત સિન્હા, મુરલી મનોહર જોશી, સુષમા સ્વરાજ અન અરુણ જેટલી જેવા વરિષ્ઠ અને કાબેલ નેતાઓ કિનારે થતા જઈ રહ્યા છે. તેમને આ વાત પર અફસોસ વ્યક્ત કર્યો. આ નેતાઓને પાર્ટીમાં તે સ્થાન નથી મળી રહ્યુ જેના તેઓ હકદાર હતા.