શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી , ગુરુવાર, 19 જૂન 2014 (15:17 IST)

મોદી વિશે કોઈ ખરાબ બોલે તે પસંદ નથી જશોદાબેનને !!

. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે કશુ પણ ખરાબ સાંભળતા તેમની પત્ની જશોદાબેનને ગુસ્સો આવી જાય છે. જશોદાબેન નરેન્દ્ર મોદી વિશે કશુ પણ ખરાબ સાંભળવા નથી માંગતા. એક અંગ્રેજી પત્રિકામાં મોદીની પત્ની જશોદાબેનનો ઈંટરવ્યુ છપાયો છે. જેમા તેમણે જણાવ્યુ છે કે તે મોદી સાથે સંકળાયેલ દરેક ન્યુઝ જુએ છે વાંચે છે. ઈંટરવ્યુ દરમિયાન તેમના ભાઈએ પણ આ ચોખવટ કરી કે નરેન્દ્રભાઈ વિશે કોઈ ખરાબ બોલે તો જશોદાબેનને તરત જ ગુસ્સો આવી જાય છે. 
 
મોદીથી અલગ થવા પર  જશોદાબેને બસ એટલુ કહ્યુ "દુ:ખ વ્યક્તિગત છે જેને કોઈ બીજાને કહેવાથી શો મતલબ ? આ તો કિસ્મતની વાત છે. લગ્ન ન ચાલવા પર તેમની શુ ભૂલ ? "તેઓ (મોદી) આગળ વધ્યા છે પોતાની બુદ્ધિમાનીના બળ પર. તેમના પીએમ બનવુ એ જ તેમની ક્ષમતા છે." નરેન્દ્ર મોદીન પીએમ બન્યા બાદ જશોદાબેનનો મોટાભાગનો સમય પ્રાર્થના અને ધાર્મિક પુસ્તકો વાંચવામાં વીતે છે.  તે ટેલીવિઝન કે છાપાના એ દરેક સમાચાર વાંચે છે જુએ છે જે મોદી સાથે સંકળાયેલા હોય.