મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: ગાંધીનગર , ગુરુવાર, 27 નવેમ્બર 2008 (23:30 IST)

મોદી શુક્રવારે મુંબઈની મુલાકાત પર

રાજ્યનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે મુંબઈ જશે અને આતંકવાદનો ભોગ બનેલા નિર્દોષ નાગરિકોનાં પરિવારોને મળીને તેમને સાંત્વના આપશે.

મોદી હુમલામાં માર્યા ગયેલા પોલીસ અધિકારીઓનાં પરિજનોને પણ મળે, તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે ત્રણ દિવસ પહેલા મહારાષ્ટ્ર સરકારને ચેતવણી આપી હતી કે 50 જેટલાં આતંકવાદીઓ દરિયાઈ માર્ગે મુંબઈ પર આતંકી હુમલો કરે તેવી સંભાવના છે.

આ અંગે રાજકારણ ચાલી રહ્યું છે. પણ મોદીએ જણાવ્યુ હતુ કે તેમણે વિલાસરાવ દેશમુખ સાથે આ અંગે વાત પણ કરી હતી. જો કે દેશમુખે આ અંગે કોઈ ટીપ્પણી કરવાનો ઈન્કાર કર્યો હતો.