ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

મોદીને ગોળી મારી દેવી જોઈએ...!!!

P.R
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વિધાનસભા ચૂંટણીમાં ભલે કોંગ્રેસ સાથે ભાજપાના જૂના દિગ્ગજોનો પણ સામનો કરવો પડી રહ્યો હોય, પણ સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર તેમના પ્રશંસકોનો જુદો જ અંદાજ છે. મોદીને ગોળી મારી દેવી જોઈએ, ટાઈટલ દ્વારા એક પોસ્ટ ખૂબ ચર્ચામાં છે. આ પોસ્ટનુ હેડિંગ ભલે નકારાત્મક હોય પણ તેમા મોદીની ખૂબીઓ તરફ લોકોનું ધ્યાન દોર્યુ છે.

મોદીને ગોળી મારી દેવી જોઈએ.. ?

- કારણ કે ગુજરાતમાં 24 કલાક લાઈટ આવે હોય છે જેના અજવાળામાં ગુજરાતની પ્રજા સૂઈ નથી શકતી.

- કારણ કે ગુજરાતમાં 500 MW સોલર પ્લાંટ લગાવાય રહ્યો છે, જે આખા ગુજરાતની સૂરજની રોશની ખાઈ જશે.

- કારણ કે ગુજરાતમાં જ્વાર-ભાટા એનર્જી સિસ્ટમ લગાડવામાં આવી રહ્યો છે, જે સમૂદ્રનું પાણી ઘટાડી દેશે અને બધી માછલીઓ મરી જશે.

- કારણ કે ગામડામાં 18 કલાક લાઈટ આવે છે, જેનાથી લોકો ટીવી જોઈને બગડી રહ્યા છે.

- કારણ કે ગુજરાતને વિશ્વના સૌથી વિકસિત રાજ્ય હોવાનો એવોર્ડ મળ્યો છે, જેનાથી ભારતના અન્ય રાજ્યોને નીચા બતાડવાની કોશિશ કરવામાં આવી છે.

- કારણ કે ગુજરાતે ચીન, જાપાનની સાથે વેપાર કરી અહીં(ગુજરાત)ના લોકોને રોજગાર આપ્યો છે, જેનાથી બીજા રાજ્યોના લોકોને મોટો આંચકો લાગ્યો છે.

- કારણ કે મોદીએ કામને જોતા ખુદ બ્રિટન અને અમેરિકાએ મોદીને વીઝા આપવાની વાત કરી છે અને બ્રિટને તો આપી પણ દીધો છે, જેનાથી એવુ લાગે છે કે મોદી બીજા દેશોની સાથે મળીને ભારત પર આક્રમણ કરવાનું ષડયંત્ર રચી રહ્યા છે.

- કારણ કે મોદી ગુજરાતના લોકોને પરિવારની જેમ માને છે, તેનો મતલબ મોદી અન્ય ભારતીયોને દુશ્મન માને છે.