ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

મોદીને બનાવો પ્રધાનમંત્રી પદના ઉમેદવાર - યશવંત સિન્હા

P.R
ભાજપા અધ્યક્ષ પદ પર નિતિન ગડકરીને ફરી લાવવાના વિરોધી રહેલ વરિષ્ઠ ભાજપા નેતા યશવંત સિન્હા હવે નરેન્દ્ર મોદીના સમર્થનમાં સાર્વજનિક રીતે સામે આવ્યા છે. તેમણે કહ્યુ કે મોદીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બનાવવા જોઈએ.

સિન્હાએ સોમવારે ચેનલ આજતક સાથેના ઈંટરવ્યુમાં કહ્યુ કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જાદુઈ નેતા છે, તેથી તેમને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બનાવવા જોઈએ. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને સલાહ આપતા તેમણે કહ્યુ કે તેઓ (નીતિશ)નરેન્દ્ર મોદીને સાંપ્રદાયિક ન કહે. તેમણે કહ્યુ કે જો નીતિશ એનડીએ છોડીને જવા માંગશે તો અમે તેમને રોકીએ નહી.

પૂર્વ નાણાકીયમંત્રીએ ગડકરીના મુદ્દા પર કહ્યુ કે જો તેઓ અધ્યક્ષ પદની દોડમાંથી પહેલા જ હટી જતા તો પાર્ટીને નુકશાન ન થતુ. ગડકરીને કારણે જ પાર્ટી બૈકફુટ પર હતી.