ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , સોમવાર, 9 માર્ચ 2009 (14:52 IST)

યુવાનો દેશને નવી દિશા આપી શકે-કર્ણસિંહ

વરિષ્ઠ કોંગ્રેસી નેતા કર્ણસિંહે જણાવ્યું છે કે દેશની રાજનીતિક પ્રણાલી ધન અને માફિયાથી પ્રભાવિત થઈ રહી છે. તેમાં પરિવર્તન માટે યુવાઓને આગળ આવવા માટે કર્ણસિંહે અપીલ કરી છે.

પોતાના 78મા જન્મદિવસની પૂર્વ સંધ્યા પર રાજ્યસભાના સાંસદ કર્ણસિંહે યુવકોથી એ અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વર્તમાન રાજનીતિક પ્રણાલીમાં ત્યારે જ પરિવર્તન આવશે જ્યારે લોકો દેશની સાચી સેવા કરનારાઓને ચૂંટશે. અને પોતાના સ્વાર્થ માટે આવતાં લોકોને દૂર કરશે.

પૂર્વી દિલ્હીનાં મંદિરમાં પોતાના જન્મદિવસ સમારોહને સંબોધિત કરતા કર્ણ સિંહે કહ્યું દેશના યુવકો જ સાચુ પરિવર્તન લાવી શકે છે.