શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

રાયબરેલીથી સોનિયાને હરાવીને જ જંપીશ - રામદેવ

P.R
યોગગુરૂ બાબા રામદેવ સત્તા અને વ્યવસ્થા પરિવર્તન માટે યોગ સાથે રાજયોગનુ અભિયાન પણ ચલાવી રહ્યા છે. તેઓ માને છે કે વર્ષ 2014ના લોકસભા ચુંટણીમાં ભ્રષ્ટાચર અને કાળુધન જ મુખ્ય મુદ દો હશે. તેમણે એલાન કર્યુ કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને હરાવવા માટે તેઓ ખુદ રાયબરેલીમાં અડ્ડો જમાવશે અને તેમને હરાવીને જ જંપશે.

બાબા રામદેવે ભવિષ્યવાણી કરી હતી કે કોંગ્રેસ પક્ષ ઉત્તરપ્રદેશમાં માત્ર 10 બેઠકો પુરતી જ સીમિત રહેશે. તાજેતરમાં લખનૌમાં સંત આશુદારામ આશ્રમમાં આયોજીત ભારત સ્વાભિમાન ટ્રસ્ટના પ્રાંતીય યુવા ભારત કાર્યકર્તા સંમેલનમાં બાબા રામદેવે કોંગ્રેસની કથિત વ્યક્તિવાદી વિચારધારા અને વ્યવસ્થા પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યુ હતુ કે દેશમાં દુષ્કર્મ, હત્યા, લૂંટ અને ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે જેનું પરિણામ કોંગ્રેસે ચૂંટણીમાં ભોગવવું જ પડશે.

દેશના આગામી વડાપ્રધાન વિશે તેમણે કહ્યુ હતુ કે રાહુલ ગાંધી માત્ર વાતો કરે છે. કોંગ્રેસના યુવરાજ વડાપ્રધાન બનવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે. પરંતુ તેમના માર્ગમાં બાબા રામદેવ અને નરેન્દ્ર મોદી ઊભા છે. કોંગ્રેસને મોંઘવારી અને રૂપિયાના ઘટતા મુલ્ય માટે પરિણામ ભોગવવું પડશે.

રામદેવે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યુ હતુ કે ઉત્તરાખંડમાં 10 હજારથી વધુ લોકો કુદરતી આફતનો શિકાર બન્યા. કોંગ્રેસ સરકાર લાશોના અંતિમ સંસ્કાર પણ કરાવી શકી નહીં. કોઈની જવાબદારી નિશ્ચિત ન થઈ. આવી સરકાર સામે હત્યાનો કેસ દાખલ થવો જોઈએ.