શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: નવી દિલ્હી. , બુધવાર, 24 ડિસેમ્બર 2008 (17:09 IST)

રાષ્ટ્રપતિ-વડાપ્રધાને કહ્યુ મેરી ક્રિસમસ

રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ અને પ્રધાનમંત્રી મનમોહનસિંહે પ્રભુ યેશુના જન્મદિવસ નિમિત્તે ક્રિસમસ પર દેશવાસિયોને શુભેચ્છાઓ પાઠવી હતી.

શ્રીમતી પાટિલે પોતાના શુભેચ્છા સંદેશમાં સમાજના અભાવગ્રસ્ત લોકોને પણ આ ખુશિઓમાં સામેલ કરવાની અપીલ કરી કહ્યુ કે એ જ ક્રિસમસનો મૂળમંત્ર છે.

પ્રધાનમંત્રીએ કહ્યુ કે ક્રિસમસ આશાઓ અને ખુશીઓનો પર્વ છે. એકબીજા સાથે મળીને રહેવાની પ્રેરણા આપે છે. આ દિવસે આપણે સૌએ મળીને વંચિતો અને જરૂરિયાતોના ઉત્થાન માટે સંકલ્પ લેવો જોઈએ.