શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: ગુરુવાર, 8 ઑગસ્ટ 2013 (15:00 IST)

રાહુલ ગાંધી લગ્ન કેમ નથી કરી રહ્યા ?

P.R
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સચિવ શિયોરાજ જીવન વાલ્મિકીએ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના લગ્નની વાત કરીને વિવાદ સર્જ્યો પણ પછી એ સમયે જ માફી માંગી લીધી. વાલ્મિકીએ કહ્યુ હતુ કે રાહુલ ગાંધીએ ‘વંશવાદ’ રોકવા માટે લગ્ન નહીં કરવાની કસમ ખાધી છે.

પત્રકારો સાથેની વાતચીતમાં વાલ્મિકીએ સૌપ્રથમ કહ્યુ કે રાહુલે વંશવાદને રોકવા માટે લગ્ન નહીં કરવાની કસમ ખાધી છે. જો કે તેમને બીજીવખત એ નિવેદન આપવા કહેવાયું તો તેમણે ઈનકાર કર્યો અને તરત માફી માંગી લીધી હતી.

વાલ્મિકીએ કહ્યુ હતુ કે મેં ક્યાંક વાંચ્યુ છે કે રાહુલે કહ્યુ હતુ કે તેઓ વંશવાદ રોકવા માટે લગ્ન નહીં કરે. જો કે પછી તેમણે માફી માંગતા કહ્યુ હતુ કે કદાચ હું ખોટો હોઈ શકું છું તેથી માફી માંગુ છું.

ત્યારબાદ પત્રકારો સાથેની વાતચીતનો વિષય બદલીને વાલ્મિકીએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતુ. તેમણે કહ્યુ, “જ્યાં સુધી એ દાઢીવાળાનો સવાલ છે, તેણે વિકાસ નહીં પણ વિનાશ કર્યો છે.