બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , બુધવાર, 16 સપ્ટેમ્બર 2009 (08:13 IST)

રાહુલની ટ્રેન પર પથ્થરમારો

કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધી જે અમૃતસર દિલ્હી શતાબ્દી એક્સપ્રેસથી લુધિયાણાથી અહીં પરત ફરી રહ્યાં હતાં તેના પાંચ ડબ્બાઓ પર પાણીપત નજીક મંગળવારે રાત્રે કેટલાક લોકોએ પથરાવ કર્યો. જો કે, રાહુલ સુરક્ષિત છે.

એસપીજી સુત્રોએ જણાવ્યું કે, ઘટનામાં કોઈ યાત્રીના ઘાયલ થવાના સમાચાર નથી. ઘટનામાં ડબ્બાઓની બારીઓના કાચ ટુટી ગયા છે. એ સમયે ટ્રેનની ગતિ પ્રતિકલાક 20 કિલોમીટરની હતી. શ્રી ગાંધી સી-3 કોચમાં બેઠા હતાં. આ કોચ પર પણ પથ્થર ફેંકવામાં આવ્યાં. ઘટના બાદ એસપીજી આ અંગેની તપાસમાં જોડાઈ ગઈ છે.