નવી દિલ્હી. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય રીમોટ સેન્સીંગ એજન્સીને સ્વાયત્ત સંસ્થા બનાવવાની જગ્યાએ સરકારી ઉપક્રમ બનાવવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે.
મંત્રી દાસમુંશીએ જણાવ્યું હતું કે આ એજન્સી અંતરીક્ષ વિભાગ હેઠળ કામ કરશે. જેથી એજન્સીને પ્રાકૃતિક સંશોધન અને સુચના સેવાઓ માટે હવાઈ અને ઉપગ્રહ રીમોટ સેન્સીંગ આંકડાઓની આપ-લે ની ભૂમિકા ખુબ સારી રીતે નિભાવી શકશે.
કેબીનેટ લીધેલા બીજા એક મહત્ત્વનાં નિર્ણયમાં અલ સાલ્વાડોર અને નિકારાગુઆ સાથે વીઝા વગર અવર-જવર કરવાનાં પ્રસ્તાવને પણ મંજુરી આપી છે.
દાસમુંશીએ જણાવ્યું હતું કે આ નિર્ણયથી વીઝા મુક્ત ટ્રાંઝીટ અને અલ સાલ્વાડોર હોન્ડૂરસ અને નિકારાગુઆમાં રાજનીતિક અને સરકારી પાસપોર્ટ ધારકો 90 દિવસ સુધી પ્રવાસની સુવિધાનો લાભ લઈ શકશે.