ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: કુરૂક્ષેત્ર , રવિવાર, 30 માર્ચ 2008 (11:04 IST)

રેલ્વે સ્ટેશન પર બોમ્બ વિસ્ફોટની ધમકી

કુરૂક્ષેત્ર. જમ્મૂ કાશ્મીરના આતંકવાદી સમુહ હરકત ઉલ મુઝાહિદ્દીને વિશેષ અભિપ્રાયની સાથે લખાયેલ પત્રમાં 13મી એપ્રીલે વૈશાખીના અવસરે કુરૂક્ષેત્ર અમૃતસર અંબાલા અને ફગવાડા રેલ્વે સ્ટેશન પર બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી આપી છે.

કુરૂક્ષેત્રના રેલ્વે સુરક્ષા બળે આ ઘટનાની નોંધ લેતા ગુનિઓ દાખલ કરી લીધો છે. પત્ર મળ્યાં બાદ રેલ્વેના કર્મચારીઓ અને સુરક્ષા અધિકારીઓને ચેતવણી આપી દેવામાં આવી છે.

આરપીએફના સૂત્રોનાં જણાવ્યાં અનુસાર સ્ટેશન માસ્ટર એસ આર મીણાને શનિવારે આ પત્ર હિંદીમાં લખેલ મળ્યો છે. આરપીએફના નિરીક્ષક નરેન્દ્ર દુબેએ જણાવ્યું કે આની અંદર અસામાજીક તત્વોનો હાથ હોવાની સંભાવના છે.