ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: કાનપુર , ગુરુવાર, 28 ફેબ્રુઆરી 2008 (16:31 IST)

વિમાન સાથે નીલગાય અથડાઈ

કાનપુર(વાર્તા) કાનપુરના ચકેરી વિમાન મથક ઉપર એર-ઇન્ડિયાના વિમાન સાથે એક નીલગાય અથડાઈ ગઈ હતી. જોકે, વિમાનના લેન્ડિંગ સમયે બનેલી આ દુર્ઘટનામાં પાઈલોટની સર્તકતાના કારણે કોઈ મોટી હોનારત ટળી હતી.

સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, એર ઈન્ડિયાના દિલ્હી-કાનપુર-અલ્હાબાદના આઈસી-7801 વિમાન ચકેરી વિમાન મથકે લેન્ડિંગ કરવા જઈ રહ્યુ હતુ તે સમયે રન-વે પર દોડતી નીલગાય સાથે તેનો અકસ્માત સર્જાયો હતો. જોકે, પાઈલોટની સર્તકતાના લીધે કોઈ મોટી હોનારત ટળી ગઈ હતી અને તેમાં સવાર 47 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.