ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

વેષ્ણોદેવીના 70 લાખ શ્રધ્ધાળુઓએ દર્શન કર્યા

જમ્મુ-કાશ્મીરના ક્ષેત્રમાં આવેલ માતા વૈષ્ણોદેવીના પ્રસિધ્ધ મંદિરમાં આ વર્ષે અત્યાર સુધી દેશના જુદા જુદા ભાગોમાંથી આવેલા 69 લાખ 80 હજારથી વધુ શ્રધ્ધાળુઓએ દર્શન કર્યા.

અધિકારીક સૂત્રોએ જણાવ્યુ કે ગયા વર્ષે આ સમય દરમિયાન માત્ર 56 લાખ 35 હજાર લોકોએ જ માતા વેષ્ણોદેવીના દર્શન કર્યા હતા. આ વર્ષે 13 લાખ 45 હજાર શ્રધ્ધાળુઓનો વધારો થયો.

મંદિર સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યુ કે રોજ દર્શન કરવા માટે લગભગ 25 થી 30 હજાર શ્રધ્ધાળુઓ આધાર શિવિર કટરા પહોંચી રહ્યા છે. જ્યાથી તેઓ વેષ્ણોદેવી દર્શન માટે રવાના થાય છે. તેમણે જણાવ્યુ કે આ વર્ષના અંત સુધી 80 લાખ શ્રધ્ધાળુઓની મંદિરમાં દર્શન કરવાની શક્યતા છે. જે અત્યાર સુધીની સૌથી મોટી સંખ્યા હશે.