ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી , ગુરુવાર, 26 ફેબ્રુઆરી 2009 (16:42 IST)

વ્યાજ ઘટાડવા મુખરજીની અપીલ

N.D

ઉદ્યોગો માટે ગઇ કાલે ત્રીજુ રાહત પેકેજ જાહેર કરી એમાં 30 હજાર કરોડની ટેક્ષમાં રાહત આપનારા નાણામંત્રી પ્રણવ મુખરજીએ વ્યાજ દરમાં ઘટાડો કરવાની બેંકોને અપીલ કરી છે.

વિશ્વમાં પ્રવર્તી રહેલી આર્થિક મંદી તથા દેશમાં નીચે આવેલા ફુગાવાને ધ્યાનમાં લેતાં આર્થિક પ્રવાહીતા સરળતાથી ચાલતી રહે એ માટે પોતાના વિચારો રજુ કરતાં કેન્દ્રિય નાણામંત્રી પ્રણવ મુખરજીએ આજે કહ્યું હતું કે, આ સમયમાં હવે વ્યાજ દર ઘટાડવા જોઇએ અને આ માટે હું રિઝર્વ બેંક તથા અન્ય બેંકો સાથે આ મુદ્દે વિચાર વિમર્શ કરીશ.