મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી , બુધવાર, 23 જુલાઈ 2014 (10:59 IST)

શિવસેના સાંસદે રોજા રાખેલ મુસલમાનના મોઢામાં બળજબરીથી રોટલી ઠૂંસી

દિલ્હીમાં સત્તાના ગલીયોમાંથી એક ખૂબ જ ચોંકવનારીવારા સમાચાર આવી રહી છે. શિવસેનાના સાંસદો પર આરોપ લગાવી રહ્યા છે કે તેમને એક મુસલમાન કેટરરનો રોજા તેથી  તોડાવ્યા કારણ કે તેના સાંસદોના મરાઠી ખાવા નથી માંગતા. ઘટૅના મહારાષ્ટ્ર સદનની છે. જ્યા શિવસેનાના 11 સાંસદ ફક્ત એ માટે ભડકી ગયા કારણ કે તેમને મરાઠી ખાવાનુ ન મળ્યુ. 
 
આરોપ છે કે ત્યારપછી સાંસદોના સુપરવાઈઝરને બોલાવ્યા અને તેમને રોટલી ખાવા મજબૂર કર્યા. આ ઘટના પછી નારાજ આઈઆરસીટીસીના કર્મચારીઓના કામ કરવુ બંધ કરી દીધુ. આઈઆરસીટીસીએ ત્યારબાદ મહારાષ્ટ્રના રેજીડેંટ કમિશ્નરને ફરિયાદી ચિઠ્ઠી પણ લખી, અમે તમને બતાવી દઈએ કે મહારાષ્ટ્ર સદનમાં કૈટરિંગની જવાબદારી આઈઆરસીટીસીના માથે છે.  
 
શિવસેનાની સફાઈ - મામલો સામે આવ્યા પછી શિવસેના સાંસદ અરવિંદ સાવંતે સફાઈ આપી અને કહ્યુ કે આ સમાચાર સંપૂર્ણ રીતે બેબુનિયાદ છે. તેમણે કહ્યુ કે આ સમાચાર  એકદમ ખોટા છે. આ આપણી વ્યવસ્થાના વિરુદ્ધ લડાઈ છે મજહબના વિરુદ્ધ નથી. જેણે પણ આ ખોટા સમાચાર આપ્યા છે તેની હું નિંદા કરુ છુ.  
 
એનસીપીએ તપાસની માંગ કરી - 
એનસીપી નેતા માજિદ મેમનનું કહેવુ છે કે આ બાબતની પુરી તપાસ થવી જોઈએ. બની શકે છે કે તેને મીઠુ મરચું લગાવીને કહી હોય. તેની તપાસ કરવી જરૂરી છે. જો આ સત્ય છે તો કાયદાની કાર્યવાહી હોવી જોઈએ. આ વાતનો મુદ્દો ન બનાવવામાં આવે આ ધાર્મિક મામલો છે.