ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: મેરઠ , શુક્રવાર, 14 નવેમ્બર 2008 (22:53 IST)

સાધ્વીનાં પક્ષમાં એસએમએસ અને ઈમેઈલ

સાધ્વી પ્રજ્ઞાનાં સમર્થનમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળનાં એસએમએસ અને ઈમેઈલનાં માધ્યમથી પ્રચાર શરૂ કરી દીધો છે.

તેમણે જણાવ્યું હતું કે પોલીસની આ કાર્યવાહી હિન્દુ ધર્મને બદનામ કરવાની છે. બજરંગ દળનાં પ્રાંતીય સંયોજક સંદીપ પહલનાં અનુસાર આ અભિયાનમાં અત્યાર સુધીમાં 10 લાખ લોકોને એસએમએસ અને ઈમેઈલ કરવામાં આવી ચુક્યાં છે.

બજરંગ દળનાં નેતાએ જણાવ્યું હતું કે સુપ્રિમ કોર્ટનાં આદેશ છતાં કેન્દ્ર સરકાર સંસદનાં આરોપી અફઝલને ફાંસી આપી આપતી નથી. જ્યારે કોઈમ્બતુર બ્લાસ્ટનાં આરોપી અબ્દુલ નાસિર અને તેના સહયોગીઓનું નાર્કો કરાવવામાં આવ્યુ નથી. તેમને છોડી મુકવામાં આવ્યા છે. તેમજ તેઓ સાધ્વી પ્રજ્ઞાનાં સમર્થન વિહિપ અને બજરંગ દળ પુરી તાકાત સાથે વિરોધ કરશે.