Last Modified: આંબેડકર નગર , શુક્રવાર, 24 ઑક્ટોબર 2008 (15:25 IST)
હત્યાનાં કેસમાં ત્રણને ફાંસીની સજા
ઉત્તર પ્રદેશનાં આંબેડકરમાં ઈબ્રાહિમપુર વિસ્તારમાં દસ વર્ષ પહેલાં ત્રણ લોકોની હત્યા કરવાનાં કેસમાં ફૈઝાબાદ જિલ્લા અદાલતે ત્રણને ફાંસીની સજા ફટકારી છે.
અપર સત્રનાં ન્યાયાધીશ રામકૃષ્ણ ગૌતમે બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ ત્રણ લોકોને ફાંસીની સજા સંભળાવી હતી. જ્યારે એક વ્યક્તિનું પહેલાં જ મોત થઈ ચુંક્યું છે. આ કેસમાં ચાર વ્યક્તિઓ પર આરોપ લગાવવામાં આવ્યા હતાં.