શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: છતરપુર , સોમવાર, 18 નવેમ્બર 2013 (14:14 IST)

હા, અમે બીજેપીવાળા ચોર છીએ, અમે કોંગ્રેસની ઉંઘ ચોરી લીધી છે - મોદી

P.R
.

મધ્યપ્રદેશના છતરપુરમાં ચૂંટણી રેલી દરમિયાન બીજેપીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યુકે કોંગ્રેસે પોતાના શાસન દરમિયિઆન મધ્યપ્રદેશને બરબાર કરી દીધો હતો.

એક મહિલાની કથિત જાસૂસી વિવાદ પર મોદી બોલ્યા કે કોઈ ષડયંત્ર નહી ચાલે. કમળની તાકતથી કોંગ્રેસ પરેશાન છે. મોદીએ કહ્યુ કે કોંગ્રેસ ખોટુ બોલવાની ફેક્ટરી છે અને દિગ્વિજય સિંહ આ ફેક્ટરીના ચેયરમેન છે. તેમણે કહ્યુ કે કોંગ્રેસીનેતા ભડકાઉ ભાષણ આપે છે.

મધ્યપ્રદેશના છતરપુરમાં બીજેપીની ચૂંટણી રેલીને સંબોધિત કરતા નરેન્દ્ર મોદીએ કહ્યુ કે હા, અમે કોંગ્રેસના આરોપોને સ્વીકાર કરીએ છીએ કે અમે ચોર છીએ, કારણ કે અમે કોંગ્રેસ પાર્ટીની ઉંઘ ચોરી લીધી છે.

પ્રધાનમંત્રી પર હુમલો બોલતા મોદીએ કહ્યુ કે તમારા જ લોકોએ તમને નીચુ જોવડાવ્યુ. બીજેપીએ પીએમની ગરિમાને ઠેસ નથી પહોંચાડી. મોદીએ કહ્યુ કે લોકોના દિલમાં કોંગ્રેસ પ્રત્યે ગુસ્સો છે. મોદીએ કહ્યુ કે બીજેપીને ચોર કહેનારા જૂઠ્ઠા છે. લોકોએ અહી(મધ્યપ્રદેશ) નો વિકાસ જોયો છે, પણ દિલ્હીવાળાને દેખાતી નથી.