ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: લખનઉ , સોમવાર, 24 નવેમ્બર 2008 (18:06 IST)

હિન્દુ નેતાઓનાં સમર્થનમાં એસએમએસ

મહારાષ્ટ્રનાં માલેગાંવ બ્લાસ્ટમાં હિન્દુ નેતાઓનાં નામ સામે આવતાં કોંગ્રેસ વિરોધી લોકોએ ઉપર વ્યંગાત્મક એસએમએસનો મારો શરૂ કરી દીધો છે.

આ એસએમએસ પ્રકરણ ચર્ચા અને કૌતુહલ પેદા કરી રહ્યું છે. આ રીતે મોકલાતાં એસએમએસમાં વ્યંગ કરવામાં આવ્યો છે જેમાં વાહ ઈન્ડીયા અફઝલ કો ફાંસી, સાધ્વી કો ફાંસી, આરએસએસ વીએચપી પર પ્રતિબંધ, સિમી સે અનુબંધ, અમરનાથ યાત્રા પર લગાન, હજ માટે અનુદાન, વાકઈ મેરા ભારત મહાન. એટલે કે સિમી જેવા કટ્ટર મુસલમાન સંગઠનો કે જે આતંકવાદનો ફેલાવો કરે છે. તેને છાવરવામાં આવી રહ્યાં છે. જ્યારે હિન્દુ સંગઠનો અને તેના નેતાઓને સજા આપવામાં આવી રહી છે.

ઉત્તર પ્રદેશનાં એડીશનલ ડી.આઈ.જી. વ્રજલાલે જણાવ્યું હતું કે આ પ્રકારનાં કોઈ એસએમએસની માહિતી નથી. તેમણે એસએમએસ જોયા બાદ તે અંગે ટીપ્પણી કરવાની વાત કરી હતી.