શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી કાવ્ય
Written By
Last Modified: શનિવાર, 17 મે 2014 (17:14 IST)

હિસાબો થાય છે...!!!

આખરી   શ્વાસે   તકાજો   થાય    છે,
પાપપુણ્યોના   હિસાબો    થાય   છે.
          
જેટલા    આપું    જવાબો     જાતને,
એટલાં   સામે   સવાલો   થાય   છે.
 
ના થઈ  શકયા  જે  ખુલ્લી  આંખથી,
બંધ   આંખોથી  પ્રવાસો   થાય   છે.
 
શું છે ? આ જીવનમરણ, એ જાણવા,
રોજ  સ્વપ્ને   રાતવાસો   થાય   છે.
 

જીવ   માફક    સાચવું   એને   છતાં, 
જીવ ! મરણ આવ્યે પરાયો થાય છે.
 
સૌ વિચારો જેમનાં પણ  હો  બુલંદ,
એમની   વાતે   રિવાજો  થાય  છે.
               
-અશોક વાવડીયા "રોચક"