ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 26 સપ્ટેમ્બર 2014 (12:36 IST)

નવરાત્રીનાં કારણે અંબાજીમાં દર્શનનો સમય બદલાયો

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની યાદી જણાવે છે કે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી અંબાજી માતા મંદિર, અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર આસો સુદ-૧ (એકમ) ગુરૃવારને તા. ૨૫-૯-૧૪ થી આસો વદ - અમાસ ગુરૃવારને તા. ૨૩-૧૦-૨૦૧૪ સુધી આરતી તથા દર્શનનો સમય નીચે મુજબ રહેશે.

- સવારે આરતી - ૭.૩૦ થી ૮.૦૦

- સવારે દર્શન - ૮.૦૦ થી ૧૧.૩૦

- રાજભોગ બપોરે - ૧૨.૦૦ કલાકે

- બપોરે દર્શન - ૧૨.૩૦ થી ૧૬.૧૫

- સાંજે આરતી - ૧૮.૩૦ થી ૧૯.૦૦

- સાંજે દર્શન - ૧૯.૦૦ થી ૨૧.૦૦


નવરાત્રી અંગેનો કાર્યક્રમ

(૧) ઘટ સ્થાપન ઃ- આસો સુદ-૧, ગુરૃવારને તા. ૨૫-૯-૨૦૧૪. સમય સવારે ૧૦.૩૦ કલાકે

(૨) દુર્ગાષ્ટમી ઃ- આસો સુદ - ૮ ગુરૃવારને તા. ૨-૧૦-૨૦૧૪. આરતી સવારે ૬.૦૦ કલાકે થશે.

(૩) વિજયાદશમી (સમી પુજન) ઃ- આસો સુદ -૧૦ શુક્રવારને તા. ૩-૧૦-૨૦૧૪ સાંજે ૮.૧૭ કલાકે

(૪) દૂધપૌઆનો ભોગ ઃ- તા. ૭/૧૦/૨૦૧૪ ને મંગળવારના રોજ રાત્રે ૧૨.૦૦ કલાકે તથા કપૂર આરતી.

(૫) આસો સુદ પૂનમ ઃ- આસો સુદ - ૧૫ બુધવારને તા. ૮/૧૦/૨૦૧૪ આરતી સવારે ૬.૦૦ કલાકે