શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: અમદાવાદ , મંગળવાર, 23 સપ્ટેમ્બર 2008 (12:29 IST)

અ ટ્રેન અમદાવાદ ટુ બિહાર...

ગુજરાત પૂરપીડિતોની મદદે

બિહારનાં પૂરપીડિતોની સહાય માટે એક ટ્રેન ભરી પૂર રાહત સામગ્રી સૂરતથી મોકલ્યા બાદ હવે એક બીજી ટ્રેન ભરીને રાહત સામગ્રી અમદાવાદથી બિહાર માટે બુધવારે મોકલવામાં આવશે.

અમદાવાદ રેલ્વે સ્ટેશન બુધવારે સાંજે 4 કલાકે પ્લેટફોર્મ નંબર-1 ઉપરથી રાહત સામગ્રી ભરેલી ટ્રેનને રવાના કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, પ્રદેશ અધ્યક્ષ પરશોત્તમ રૂપાલા સહિત આગેવાનો હાજર રહેશે.

ભાજપનાં અમદાવાદ શહેર, જિલ્લા અને ઉત્તર ગુજરાતનાં જિલ્લાનાં કાર્યકર્તાઓ તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં રાહત એકત્ર કરવામાં આવી છે. જેની કીટ બનાવીને પૂરપીડિતોને આપવામાં આવશે.