શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: અમદાવાદ , રવિવાર, 21 ડિસેમ્બર 2008 (21:29 IST)

કાંકરીયા ફીનો શિવ સૈનિકોનો વિરોધ

નવિનીકરણ બાદ કાંકરીયા તળાવનું લોકાપર્ણ થનાર છે ત્યારે તેની પ્રવેશ ફીને લઇને ઉઠેલો વિવાદ વકરી રહ્યો છે. જેમાં આજે શિવસેનાએ ઝંપલાવતાં આ વિવાદ વધુ ઘેરો બન્યો છે.

શહેરના આસોડિયા વિસ્તારમાં નારા લગાવી રહેલા શિવસૈનિકોની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ અગાઉ મીનીટ્રેનને નુકશાન પહોંચાડવા પ્રયત્નો કરાયા હતો. જેને પગલે 24મી ડિસેમ્બર સુધી કાંકરીયા સંકુલ સવારના 5થી રાતે 8.30 સુધી જ ખુલ્લુ રાખવાનો નિર્ણય લેવાયો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવિનીકરણ પામી રહેલા કાંકરિયા તળાવનું આગામી 25મી ડિસેમ્બરે લોકાપર્ણ થનાર છે.