ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: અમદાવાદ , ગુરુવાર, 28 ઑગસ્ટ 2008 (15:00 IST)

ઝાહીદ શેખે બ્લાસ્ટની જગ્યાની પસંદગી કરી

તમામ જગ્યાની રેકી કરી હતી

અમદાવાદમાં થયેલા બ્લાસ્ટનાં તમામ સ્થળોની રેકી ઝાહીદ શેખે જ કરી હતી. જ્યારે સુરતમાં તન્વીરે રેકી કરી હતી. આમ સિમીએ અમદાવાદમાં ઝાહીદને તેમજ સુરતમાં તન્વીરને પોતાનું મહોરા બનાવ્યા હતાં.

અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટ થયેલા તમામ સ્થળની ત્રણેકવાર રેકી કરવામાં આવી હતી. આ તમામ જગ્યાઓની માહિતી ઝાહીદ શેખે જ સાથે રહી બોમ્બ પ્લાન્ટ કરનાર શખ્સોને આપી હતી. આ ઉપરાંત બોમ્બ પ્લાન્ટ કરવા અમદાવાદમાં આવેલા આતંકવાદીઓને ઝાહીદ શેખે રહેવાની સગવડ પણ કરી આપી હતી.

બીજી તરફ સુરતમાં મળી આવેલ વિસ્ફોટકો ભરેલી કાર અને 29 જીવતાં બોમ્બ વિશે તન્વીરે આતંકવાદીઓને માહિતી આપી હતી.