શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 10 એપ્રિલ 2014 (13:10 IST)

દ્વારકાધીશના ભક્તે દંડવત પ્રણામ કરતા કરતા ૯૫ દિવસની કરી આકરી યાત્રા

શ્રદ્ધામાં જે તાકાત હોય છે તે અજોડ હોવાનું પુરવાર કરતી સાબરકાંઠાના એક યુવકે આકરી યાત્રા રામનવમીની સંધ્યાએ પૂર્ણ કરી હતી. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના જડિયા ગામના ૨૯ વર્ષીય દિનેશભાઇ ભાવાભાઇ નામના યુવાને ૯૫ દિવસ પૂર્વે પોતાના ઘરેથી દ્વારકાધીશ મંદિર સુધીની અનોખી યાત્રા આદરી હતી. દંડવત પ્રણામ કરતા કરતા દિનેશભાઇ ૯૫ દિન સુધી આકરી અને અવિરત યાત્રા કરી ગતરોજ રામનવમીએ દ્વારકા પહોંચ્યા હતા. તેમના કહેવા મુજબ ૯૫ દિવસની દંડવત પ્રણામ યાત્રામાં તેમને કોઇ જાતની શારીરિક ઇજા કે બીમારી કે કોઇ મુસિબત આવી નહોતી. રામનવમીના પાવનદિને પોતાની યાત્રા સંપન્ન થતા દિનેશભાઇએ આનંદ વ્યક્ત ર્ક્યો હતો. તેમની આકરી યાત્રાને લઇને દ્વારકામાં ખાસ્સી ચકચાર મચી હતી અને ભાવિક ભક્તોમાં અચરજ સાથે આસ્થાની લાગણી પ્રબળ બની હતી.