ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: શુક્રવાર, 24 ઑક્ટોબર 2008 (02:19 IST)

નમોનો સપના સેવવાનો સંકલ્પ

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સૌરાષ્ટ્રના સાગરકાંઠે રાજુલામાં ઉમટેલા જનસાગરે સ્વર્ણિમ ગુજરાતના સામુદાયિક સંકલ્પ લેવડાવતા જણાવ્યુ કે સાડા પાંચ કરોડ ગુજરાતીઓના સંકલ્પબંદ્ધ રહેશે તો દુનિયાની કોઈ તાકાત ગુજરાતના ગૌરવને ખંડીત કરવાની હિંમત કરી શકશે નહી.

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત ગૌરવ દિવસે અમરેલીથી સ્વર્ણિમ ગુજરાત સંકલ્પ જ્યોતિસ્થનુ પ્રસ્થાન કર્યાવ્યુ હતું જે રાજ્યના 102 નગરોમાં પરિભ્રમણ કરીને આજે સૌરાષ્ટ્રના સાગરકાંઠે રાજુલામાં આવી પહોચ્યો ત્યારે વિરાટ જનસમાજ સ્વાગત માટે ઉમટી પડ્યો હતો.

ગુજરાતમાં સપના સેવવાનું અને સકલ્પ કરવાનું વાતાવરણ ઉભું થઈ ગયુ છે. એવો વિશ્વાસમત નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યો હતો.