શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: શનિવાર, 13 એપ્રિલ 2013 (15:40 IST)

નરેન્‍દ્ર મોદી સંપૂર્ણ સેક્‍યુલર: બી.જે.પી.

P.R


એન.ડી.એ.ના મહત્‍વના સાથીપક્ષ જે.ડી.યુ.એ ગઠબંધનના વડા પ્રધાનપદના ઉમેદવાર સંપૂર્ણ સેક્‍યુલર હોવા જોઇએ એવું જણાવ્‍યાના બીજા જ દિવસે એટલે કે ગઇકાલે બી.જે.પી.એ નરેન્‍દ્ર મોદીને સંપૂર્ણ સેક્‍યુલર ગણાવ્‍યા હતા. બી.જે.પી.ના પ્રવકતા કેપ્‍ટન અભિમન્‍યુએ જણાવ્‍યું હતું કે ગુજરાતમાં ભૂતકાળમાં અનેક વખત રમખાણો થયાં છે. પણ છેલ્લા ૧૨ વર્ષમાં મોદીના કાર્યકાળમાં એકપણ વખત રમખાણ થયા નથી, જે પુરવાર કરે છે કે તેઓ સંપૂર્ણ સેક્‍યુલર અને સારા વહીવટકર્તા છે. બી.જે.પી.ના પ્રવકતાએ ૧૯૮૪નાં સિખવિરોધી રમખાણો અને ૨૦૦૨નાં ગુજરાતનાં રમખાણો સમાન હોવાનો પણ ઇનકાર કર્યો હતો.