શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: ગુરુવાર, 29 નવેમ્બર 2012 (12:14 IST)

નવજોત સિદ્ધુ આજે 3 જાહેરસભાને સંબોધશે

P.R
ભાજપાના પ્રદેશ મિડિયા ઈન્ચાર્જ ડો. જગદીશ ભાવસારે જણાવ્યુ છે કે જાણીતા ટેસ્ટ ક્રિકેટર ભાજપાના રાષ્ટ્રીય મંત્રી અને અમૃતસરના સાંસદ તેમજ તેજાબી વક્તા નવજોતસિંઘ સિદ્ધુ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચારાર્થે આવતીકાલે 29 નવેમ્બરના રોજ આવશે અને ત્રણ સ્થાનો પર જાહેરસભાને સંબોધશે. નવજોતસિંઘ સિદ્ધુ બપોરે 2.15 કલાકે બોટાદમાં 4.00 કલાકે વિસાવદમાં અને સાંજે 6.15 કલાકે સાવરકુંડલામાં સભાને સંબોધી કમળલહેર ઉભી કરવા પ્રજાજનોને આહવાન કરશે.